મેડિકલમાં પ્રવેશ માટે આ રહી વિગતો...
મેડિકલમાં પ્રવેશ માટે આ રહી વિગતો... અમદાવાદ :ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ગુજકેટ 2013નું પરિણામ 20 મેના રોજ જાહેર થશે. જ્યારે મેડીકલ અને એન્જીનયરીંગ ફેકલ્ટીમાં પ્રવેશની તમામ પ્રક્રિયા સુપ્રિમ કોર્ટના એક આદેશ અનુસાર 30 સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ થઈ જશે એવી જાહેરાત રાજ્યના આરોગ્ય મંત્રી નીતિનપટેલે કરી હતી. ગાંધીનગર ખાતે મંત્રીમંડળની બેઠક બાદતેમણે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે મેડીકલ અને પેરામેડીકલ ફેકલ્ટીમાં પ્રવેશ માટે ધો. 11 અને 12ના 4 સેમીસ્ટરના ફીજીક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી વિષયોની થીયરીના કુલ ગુણના 60 ટકા અને ગુજકેટ2013ના કુલ ગુણના 40 ટકા ભારાંક મુજબ પ્રવેશ આપવામાં આવશે. ગુજરાતના વિદ્યાર્થીઓને તબીબી અભ્યાસક્રમોમાંકોઈ મુશ્કેલી ન પડે અને સમયસર પ્રવેશ મળી રહે તે માટે કેન્દ્રીય પ્રવેશ સમિતિની રચના કરવામાં આવી છે. તેમણે એક પ્રશ્નના જવાબમાં કહ્યું કે ચાલુ વર્ષે મેડીકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે લેવાયેલ એન્ટ્રેસ પરીક્ષાઓના પરિણામ જાહેર કરવા સુપ્રિમ કોર્ટ દ્વારા મંજુરી આપવામાંઆવી છે તે મુજબ જ પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાશે. કેન્દ્રીય પ્રવેશ સમિતિ બી. જે. મેડીકલ કોલેજ - અમદાવાદ ખાતેથીપ્રવેશ કાર્યવાહી હાથ ધરશે. આ કેન્દ્રીય પ્રવેશ સમિતિ દ્વારા મેડિકલ, ડેન્ટલ, ફીજીયોથેરાપી, આયુર્વેદ, હોમીયોપેથી, નર્સીંગ, પ્રોસ્થેક્ટીકસ, ઓર્થોટીક્સ, નેચરોપેથી અને ઓડીયોલોજી અભ્યાસ ક્રમોના સ્નાતક (યુ.જી.) કક્ષાએ પ્રવેશ અંગેની કાર્યવાહી હાથ ધરાશે. તેમણે એમ પણ કહ્યું કે ગુજરાતમાં મેડીકલ પેરા મેડીકલ અભ્યાસ ક્રમ માટે કુલ 8950 બેઠકો ઉપલબ્ધ છે. જેમાં 6 સરકારી મેડીકલ કોલેજમાં કુલ 1080 બેઠકો, રાજ્ય સરકાર દ્વારા સંચાલિત સોસાયટીની પાંચ મેડીકલ કોલેજોમાં કુલ750 બેઠકો, મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત 3 મેડિકલ કોલેજોમાં કુલ 450બેઠકો, ચાર ખાનગી મેડિકલ કોલેજની કુલ 500 બેઠકો, બે સરકારી ડેન્ટલ કોલેજોમાં કુલ 200 બેઠકો, રાજ્ય સરકાર સંચાલિત સોસાયટીની એક ડેન્ટલ કોલેજમાં કુલ 100 બેઠકો, મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એક ડેન્ટલ કોલેજમાં કુલ 100 બેઠકો અને 8 ખાનગી ડેન્ટલ કોલેજની કુલ 740 બેઠકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ફીઝીયોથેરાપીની કુલ 1325 બેઠકો, બીએસસી નર્સીંગની 1615 બેઠકો, આયુર્વેદની 310, હોમોયોપેથિકની 1625 અને અન્ય પેરા મેડિકલ અભ્યાસ ક્રમની કુલ 140 બેઠકો સાથે 8950 બેઠકો ઉપલબ્ધ છે. જેમાં મેરીટના આધારેપ્રવેશ આપવામાં આવશે. એનઆરઆઇ બેઠક સંદર્ભે એમણે કહ્યું કે રાજ્યની તમામ મેડિકલ, ડેન્ટલ, પેરામેડિકલ અભ્યાસક્રમોમાં એનઆરઆઇ બેઠકોમાં કોઇ અનિયમિતતા ન થાય તે હેતુથી પ્રવેશ કાર્યવાહી પણ એક જ તારીખે અને એક જ સ્થળે કેન્દ્રીય પ્રવેશ સમિતિ દ્વારા સંબંધિત ખાનગી કોલેજના મેનેજમેન્ટ દ્વારા હાથ ધરવામાં આવશે. નોંધનીય છે કે એનઆરઆઇ બેઠકોમાં કેટલીક અનિયમિતતાઓ આચરવામાં આવતી હોવાની સંખ્યાબંધ ફરીયાદો રાજ્ય સરકારને મળી હતી અને ઘણીવાર મેરીટ ધરાવતા ન હોય તેવા વિદ્યાર્થીઓને એનઆરઆઇ કોટામાં પ્રવેશ અપાતો હતો.
No comments:
Post a Comment