UPDATES :::: Fix pay case 2012-13

WELCOME TO MY FIRST BLOG..I WILL NOW POST IMP. NEWS OF EDUCATION DAILY...PLZ VISIT DAILY ONCE...

My Blog List

Friday, June 21, 2013


બદલી કેમ્પ


28 જુનથી મેડીકલમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ

28 જુનથી મેડીકલમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભજીજીએન ટીમ દ્વારા | June 19, 2013, 07:20 PM IST અમદાવાદ :ગુજરાતમાં મેડીકલ ફેકલ્ટીમાં પ્રવેશ માટેની પ્રક્રિયા 28 જુનથી શરૂ થશે. 22 જુલાઇ સુધીમાં ભરેલા પ્રવેશ ફોર્મ જમા કરાવાના રહેશે એમ રાજ્ય સરકારના પ્રવક્તા અને આરોગ્ય મંત્રી નીતિન પટેલે જાહેરાત કરી હતી. ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ 1 ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં એમ કહ્યુંકે એમબીબીએસમાં પ્રવેશ માટે સુપ્રિમ કોર્ટે મંજુરી આપી છે અને સુપ્રિમ કોર્ટે એમ જણાવ્યું છે કે પ્રવેશ આપતીવખતે પ્રવેશફોર્મમાં એવી ખાસ સુચના લખવી કે સુપ્રિમ કોર્ટના ચુકાદાને આધીન પ્રવેશ મળશે. કેમ કે મેડીકલમાં પ્રવેશ સંદર્ભે રીટ અરજીની કાનૂની પ્રક્રિયા ચાલી રહી છે. ગુજરાતમાં 28 જુનથી 19 જુલાઇ સુધી એક્સીસ બેન્કમાંથી રૂ. 170 ભરીને પ્રવેશ ફોર્મ મેળવી શકાશે. ભરેલા પ્રવેશ ફોર્મ 29 જુનથી અમદાવાદની બી. જે. મેડીકલ કોલેજમાં સેન્ટ્રલ પ્રવેશ સમિતિને પહોંચાડવાના રહેશે. 22 જુલાઇસુધી ભરેલા ફોર્મ સ્વીકારવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે એમબીબીએસમાં પ્રવેશ માટ ગુજકેટ અને પોસ્ટ ગ્રેજયુએશનમાં પ્રવેશ માટે નીટના આધારે પ્રવેશ કાર્યવાહી થશે. આમ, છેલ્લા કેટલાક દિવસથી મેડીકલમાં પ્રવેશ સંદર્ભે વિદ્યાર્થી અને વાલીઓમાં સર્જાયેલી મુંઝવણનો અંત આવ્યો છે.

મેડિકલમાં પ્રવેશ માટે આ રહી વિગતો...

મેડિકલમાં પ્રવેશ માટે આ રહી વિગતો... અમદાવાદ :ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ગુજકેટ 2013નું પરિણામ 20 મેના રોજ જાહેર થશે. જ્યારે મેડીકલ અને એન્જીનયરીંગ ફેકલ્ટીમાં પ્રવેશની તમામ પ્રક્રિયા સુપ્રિમ કોર્ટના એક આદેશ અનુસાર 30 સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ થઈ જશે એવી જાહેરાત રાજ્યના આરોગ્ય મંત્રી નીતિનપટેલે કરી હતી. ગાંધીનગર ખાતે મંત્રીમંડળની બેઠક બાદતેમણે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે મેડીકલ અને પેરામેડીકલ ફેકલ્ટીમાં પ્રવેશ માટે ધો. 11 અને 12ના 4 સેમીસ્ટરના ફીજીક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી વિષયોની થીયરીના કુલ ગુણના 60 ટકા અને ગુજકેટ2013ના કુલ ગુણના 40 ટકા ભારાંક મુજબ પ્રવેશ આપવામાં આવશે. ગુજરાતના વિદ્યાર્થીઓને તબીબી અભ્યાસક્રમોમાંકોઈ મુશ્કેલી ન પડે અને સમયસર પ્રવેશ મળી રહે તે માટે કેન્દ્રીય પ્રવેશ સમિતિની રચના કરવામાં આવી છે. તેમણે એક પ્રશ્નના જવાબમાં કહ્યું કે ચાલુ વર્ષે મેડીકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે લેવાયેલ એન્ટ્રેસ પરીક્ષાઓના પરિણામ જાહેર કરવા સુપ્રિમ કોર્ટ દ્વારા મંજુરી આપવામાંઆવી છે તે મુજબ જ પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાશે. કેન્દ્રીય પ્રવેશ સમિતિ બી. જે. મેડીકલ કોલેજ - અમદાવાદ ખાતેથીપ્રવેશ કાર્યવાહી હાથ ધરશે. આ કેન્દ્રીય પ્રવેશ સમિતિ દ્વારા મેડિકલ, ડેન્ટલ, ફીજીયોથેરાપી, આયુર્વેદ, હોમીયોપેથી, નર્સીંગ, પ્રોસ્થેક્ટીકસ, ઓર્થોટીક્સ, નેચરોપેથી અને ઓડીયોલોજી અભ્યાસ ક્રમોના સ્નાતક (યુ.જી.) કક્ષાએ પ્રવેશ અંગેની કાર્યવાહી હાથ ધરાશે. તેમણે એમ પણ કહ્યું કે ગુજરાતમાં મેડીકલ પેરા મેડીકલ અભ્યાસ ક્રમ માટે કુલ 8950 બેઠકો ઉપલબ્ધ છે. જેમાં 6 સરકારી મેડીકલ કોલેજમાં કુલ 1080 બેઠકો, રાજ્ય સરકાર દ્વારા સંચાલિત સોસાયટીની પાંચ મેડીકલ કોલેજોમાં કુલ750 બેઠકો, મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત 3 મેડિકલ કોલેજોમાં કુલ 450બેઠકો, ચાર ખાનગી મેડિકલ કોલેજની કુલ 500 બેઠકો, બે સરકારી ડેન્ટલ કોલેજોમાં કુલ 200 બેઠકો, રાજ્ય સરકાર સંચાલિત સોસાયટીની એક ડેન્ટલ કોલેજમાં કુલ 100 બેઠકો, મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એક ડેન્ટલ કોલેજમાં કુલ 100 બેઠકો અને 8 ખાનગી ડેન્ટલ કોલેજની કુલ 740 બેઠકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ફીઝીયોથેરાપીની કુલ 1325 બેઠકો, બીએસસી નર્સીંગની 1615 બેઠકો, આયુર્વેદની 310, હોમોયોપેથિકની 1625 અને અન્ય પેરા મેડિકલ અભ્યાસ ક્રમની કુલ 140 બેઠકો સાથે 8950 બેઠકો ઉપલબ્ધ છે. જેમાં મેરીટના આધારેપ્રવેશ આપવામાં આવશે. એનઆરઆઇ બેઠક સંદર્ભે એમણે કહ્યું કે રાજ્યની તમામ મેડિકલ, ડેન્ટલ, પેરામેડિકલ અભ્યાસક્રમોમાં એનઆરઆઇ બેઠકોમાં કોઇ અનિયમિતતા ન થાય તે હેતુથી પ્રવેશ કાર્યવાહી પણ એક જ તારીખે અને એક જ સ્થળે કેન્દ્રીય પ્રવેશ સમિતિ દ્વારા સંબંધિત ખાનગી કોલેજના મેનેજમેન્ટ દ્વારા હાથ ધરવામાં આવશે. નોંધનીય છે કે એનઆરઆઇ બેઠકોમાં કેટલીક અનિયમિતતાઓ આચરવામાં આવતી હોવાની સંખ્યાબંધ ફરીયાદો રાજ્ય સરકારને મળી હતી અને ઘણીવાર મેરીટ ધરાવતા ન હોય તેવા વિદ્યાર્થીઓને એનઆરઆઇ કોટામાં પ્રવેશ અપાતો હતો.

Thursday, June 20, 2013

BLO WORK



23 જૂનથી અધિકારીઓ મતદારોનાં ઘેર ઘેરફરશે - નવી મતદાર યાદી: ૨૦૧૪માં યોજનારી લોકસભાની ચૂંટણી પહેલાં તંત્ર દ્વારા નવી મતદાર યાદી તૈયાર કરવા કવાયત - ૧લી જાન્યુઆરી ૨૦૧૪ના રોજ ૧૮ વર્ષ પૂરા કરનાર નવા મતદારો ઉમેરાશે ૨૦૧૪માં યોજાનાર લોકસભાની ચૂંટણી પહેલાં તમામ નાગરિકોના નામો મતદાર યાદીમાં આવે તે હેતુથી શરૂ કરવામાં આવનાર નવી મતદાર યાદી માટે ૨૩ જૂનથી અધિકારીઓ મતદારોના ઘરે ઘરે ફરશે. આગામી વર્ષ ૨૦૧૪માં આવનાર લોકસભાની ચૂંટણી પહેલાં મતદાર યાદીને ખામી રહિત બનાવવા માટે ઘરે ઘરે જઈ તમામ મતદારોની વિગતો ચકસવાનો ચૂંટણી પંચે આદેશ આપ્યો છે. જે અંતર્ગત વડોદરા શહેર અને જિલ્લામાં આગામી ૨૩ જૂનથી ૨૧ જુલાઈ સુધી નવી મતદાર યાદી તૈયાર કરવા અધિકારીઓ મતદારોના ઘરે ઘરે જશે. આ કાર્યવાહીમાં આગામી ૧લી જાન્યુઆરી ૨૦૧૪ના રોજ ૧૮ વર્ષ પૂરા કરનાર યુવાનનાં નવા નામ દાખલ કરવા સહિત સ્થળાંતર કરી ગયેલા મતદારોના નામ બદલવાની કામગીરી કરવામાં આવશે. - ૭ જુલાઈએ મતદાન મથકે કાર્યક્રમ મતદારોના ઘરે ઘરે ફરી ફોર્મ ભરાવવાની કામગીરી કરવા સાથે જો કોઈ મતદાર જરૂરી પુરાવા કે ફોર્મ તુરત જ આપી ના શકે તેવા સંજોગોમાં મતદારોની સુવિધા માટે આગામી ૭ જુલાઈના રોજ તમામ મતદાન મથકોએ બૂથ લેવલ ઓફિસર હાજર રહેશે. - નવી સોસાયટીઓની નોંધણી કરાશે છેલ્લા વર્ષોમાં શહેરમાં સંખ્યાબંધ નવી સોસાયટીઓ અને એપાર્ટમેન્ટ બની ગયા છે. ત્યારે નવી મતદાર યાદી બનાવવાની આ કામગીરીમાં શહેરમાં નવી બનેલી સોસાયટીઓ અને એપાર્ટમેન્ટમાં રહેવા આવેલા રહીશોની વિગતો પણ આ અભિયાનમાં એકત્રિત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જે માટે એક અલગ પત્રક બનાવાશે.

ઉચ્ચતર પ્રાથમિક શાળાઓમાં કૌશલ્ય વર્ધન કેન્દ્રોના માધ્યમથી વ્યાવસાયિક અભ્યાસક્રમો શરૂ કરવા બાબતની મીટીંગ



ઉચ્ચતર પ્રાથમિક શાળાઓમાં કૌશલ્ય વર્ધન કેન્દ્રોના માધ્યમથી વ્યાવસાયિક અભ્યાસક્રમો શરૂ કરવા બાબતની મીટીંગ પ્રતિ, કો-ઓર્ડીનેટરશ્રી, કૌશલ્ય વર્ધન કેન્દ્ર તા-૦૧-૦૬-૨૦૧૩ ના રોજ માનનીય મુખ્ય મંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને મળેલ મીટીંગમાં નક્કી થયા મુજબ રાજ્યની પ્રાથમિક શાળાઓ ખાતે વ્યાવસાયિક અભ્યાસક્રમો નજીકના કૌશલ્ય વર્ધન કેન્દ્રોની મદદથી શરૂ કરવાના રહે છે. પ્રાથમિક તબક્કે કમિશનર રોજગાર અને તાલીમ ની કચેરી તથા પ્રાથમિક શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથેની તબક્કાવાર બેઠકોમાં નક્કી થયા મુજબ રાજ્યની ૫૦૦ ઉચ્ચતર પ્રાથમિક શાળાઓમાં આ વ્યાવસાયિક અભ્યાસક્રમો પૈકી હાલમાં લાઈફ સ્કીલ તેમજ eMPOWERનાં અભ્યાસક્રમો શરૂ કરવાના રહે છે. શ્રમ અને રોજગાર વિભાગ હસ્તકના કમિશનર રોજગાર અને તાલીમ તળે ચાલતા કૌશલ્ય વર્ધન કેન્દ્રની ભુમિકા આ Edu-Skill તાલીમ કાર્યક્રમ માટે મેન્ટર (માર્ગદર્શક) તરીકેની રહેશે. જ્યારે સમગ્ર તાલીમ કાર્યક્રમનું અમલીકરણ પ્રાથમિક શિક્ષણ વિભાગ હસ્તકના સર્વ શિક્ષા અભિયાન દ્વારા કરાવવાનું રહેશે. જે તે કૌશલ્ય વર્ધન કેન્દ્રની નજીકની ઉચ્ચતર પ્રાથમિક શાળાઓએ પરસ્પર સંપર્કમાં રહીને લાઇફ સ્કીલ તથા eMPOWER ના અભ્યાસક્રમો શરૂ કરવાના થાય છે.હાલમાં કૌશલ્ય વર્ધન કેન્દ્રમાં આઉટસોર્સીંગ ફેકલ્ટી દ્વારા તાલીમ આપવામાં આવે છે. તે મુજબ ૫00 ઉચ્ચતર પ્રાથમિક શાળામાં પણ કૌશલ્ય વર્ધન કેન્દ્ર ખાતેથી ટ્રેનર પુરાપાડવાનું આયોજન છે. તા-૧૩,૧૪,૧૫ જુન દરમિયાન શાળા પ્રવેશોત્સવ દરમિયાન માનનીય મુખ્ય મંત્રીશ્રી , માનનીય મંત્રીશ્રીઓ, ,માનનીય ધારાસભ્યશ્રીઓ તેમજ ઉચ્ચ અધિકારીશ્રીઓ સહિતના મહાનુભાવોની મુલાકાત સમયે લાઇફ સ્કીલ તથા eMPOWER ના અભ્યાસક્રમોનુ ઉદઘાટન કરવાનુ આયોજન છે જે માટે માનનીય કમિશનરશ્રીના અધ્યક્ષસ્થાને રાજ્યનાતમામ કૌશલ્ય વર્ધન કેન્દ્રોના કો-ઓર્ડીનેટરની મીટીંગ તા.૧૦-૦૬-૨૦૧૩ ના રોજ રાખેલ છે. જેનું સ્થળ તથા સમય હવે પછી જણાવવામાં આવશે. હાલમાં તમારીકક્ષાએથી નીચે મુજબની કામગીરી કરવાનીરહે છે. ૧. કુલ ૫૦૦ શાળાઓ કે જ્યાં પ્રાથમિક તબક્કામાં લાઇફ સ્કીલ તથા eMPOWER ની તાલીમ શરૂ કરવાની છે તે શાળાઓની યાદી તેના શાળા કક્ષાએથી સંકલન કરનાર કો-ઓર્ડીનેટરની યાદી તથા જે તે શાળાને કયા કેવીકે સાથે સંલગ્ન છે તેની યાદી દર્શાવતું પત્રક આ સાથે સામેલ છે. ૨. પસંદ કરવામાં આવેલ પ્રાથમિક શાળાનીમુલાકાત લેવાની રહેશે. ઇન્ટરનેટની સુવિધા સહિતના ૧૦ કોમ્પ્યુટર વર્કીંગકન્ડીશનમાં છે કે નહી તથાeMPOWER ની તાલીમ માટે યોગ્ય છે કે કેમ ? ૩. જરૂરી ઇન્ટરનેટ તથા લેનની માળખાકીયસુવિધા ઉપલબ્ધ છે કે કેમ ? ૪. જે તે પ્રાથમિક શાળા ખાતેથી લાઇફ સ્કીલ અભ્યાસક્રમ માટેની સગવડ તેમજ અત્રેથી કોર્ષનુ બાસ્કેટ (ગૃપ ઓફ ટ્રેડ) બનાવેલ છે તેમાં કોઇ સુધારા વધારા હોય તો તેની વિગતો ૫. eMPOWER તાલીમ કાર્યક્રમ ચલાવવામાટે પ્રાથમિક શાળા ખાતે સવારે ૧૧ થી ૧ તેમજ સાંજે ૩ થી ૫ તેવા બે સ્લોટ્માં બે બેચ રહેશે. આ અમલીકરણથી સદર ૪૦ કલાકનો અભ્યાસક્રમ ૧૦ તાલીમાર્થીઓ લેખે દૈનિક બે બેચ ગણતાં તાલીમ કામકાજના ૨૦ દિવસમાં ૨૦ તાલીમાર્થીઓને તાલીમ આપવાની રહેશે. જેથી માસિક ૧ શાળા દીઠ ૨૦ વિદ્યાર્થીઓતાલીમ લઈ શકશે. તે પ્રકારનુ આયોજન પ્રાથમિક શિક્ષણ વિભાગ સાથે મળી કરેલ છે જે બાબતે જરૂરી સુચનો અથવા પોતાનીઅનુકુળતા મુજબ પણ મોડ્યુલ ગોઠવી શકશે જે અંગેની વિગતો લાવવાની રહેશે. ૬. સદર તાલીમ કાર્યક્રમના અમલીકરણ અંગે અન્ય સુચનો Thanking You, KVK Branch Commissionerateof Employment and Training, Block No 1 Third Floor Dr. Jivraj Mehta Bhavan, Gandhinagar 382010 kvkadtdet@gmail.com http:// www.talimrojgar. org/

શિક્ષણના પ્રેરણા પુષ્પો

blog post