Sunday, October 8, 2017

Mahatma gandhiji essay in gujarati

👉🏿 હિમાલયની પરિચય ન હોય. તેનાં દર્શન જ હોય. ગુજરાતને, ભારતને કે વિશ્વને પણ ગાંધીજીની શો પરિચય કરાવવાનો હોય ? બુદ્ધ, ઈસુની પરંપરાના એ યુગપુરુષ. હજારો વર્ષે મળે એવું માનવજાતિનું સુફળ-અમરફ્ળ અહિંસા, પ્રેમ અને સત્ય માનવતાનું એ સત્ય યુગૅ યુગે કોઈક ને કોઈક ભક્તિ દ્વારા મૂર્તિમંત થતું હોય છે. આ યુગનો સત્યાવતાર તે...
➖ *મહાત્મા ગાંધીજી*.

👉🏿 છેક કુમારવયથી જ સત્યના પાયા પર જીવનનું ચણતર કરીને 78 વર્ષના જીવનકાળની એક એક પળને તેમણે આ દેશનાં જડ અને કુત્રિમ મૂલ્ચોનું આમૂલ પરિવર્તન કરી નાખવામાં ખચીં. અપાર કરુણ અને વત્સલતાથી, સતત ક્રિયાશીલતાથી સત્તાની આકાંક્ષા વિના, ગીતાપ્રોકત સ્પૃહારહિત કર્તવ્યબુદ્ધિથી આ દેશના પ્રશ્નોને વિધાયક દંષ્ટિથી ઉકેલવા પ્રયાસ કરીને આ દેશની દરિદ્ર, મૂઢ અને પરવશ પ્રજાની ચેતનાને એમણે ઢંઢોળી. ભારતની પ્રજામાં મૂલ્યૉનું અને સાંસ્કૃતિક વારસાનું તેમણે આત્મભાન પ્રગટાબું. વિશાળ બ્રિટિશ સામ્રાજ્યને અહિંસાને માર્ગે હચમચાવી આ દેશને સ્વરાજને કાંઠે લાવી નાંગર્યો.

👉🏿 ઇ.સ 1869ની બીજી ઓક્ટોબરે કાઠિયાવાડના ટેકીલા પણ મુત્સદી ઉત્તમચંદ (ઑતા) ગાંધીના પુત્ર કરમચંદ (કબા) ગાંધીને ત્યાં એમનાં ચોથી વારનાં પત્ની પૂતળીબાઈથી વૈષ્ણવ કુટુંબમાં પોરબંદરમાં મોહનદાસનો જન્મ. પિતાના ત્રણ પુત્રો, પણ ત્રણ પુત્રોમાં એ સૌથી નાના 1887માં રાજકોટની આલ્ફેડ હાઈસ્કૂલમાંથી મેટ્રિક થયા. શામળદાસ કોલેજ, ભાવનગરમાં પહેલું સત્ર પૂરું કર્યા પછી 1888માં લંડન ગયા અને 1891માં બેરિસ્ટર થઈ ભારત પાછા કર્યા. 1881માં શાળાઅભ્યાસ દરમિયાન શ્રવણની પિતૃભક્તિ અને હરિર્શ્વદ્ર નાટકની એમના પર ખૂબ ઊંડી અસર થઈ જે જીવન પર્વત રહી. પરિણામે સત્યવાદી થવાનો સંકલ્પ એમણે જીવનભર પાળ્યો. 1883માં ગોકુલદાસ મકનજી નામના વેપારીનાં પુત્રી કસ્તુરબાઈ સાથે લગ્ન થયા.

👉🏿 સત્ય બોલવાની પ્રતિજ્ઞાએ તરત જ એમની કસોટી કરી. 1884માં બીડી પીંવાનો તેમ જ દેખાદેખીએ માંસ ખાવાનો પ્રયોગ કર્યો, પરંતુ આ માટે માતાપિતા આગળ જુઠું બોલવાને કારણે તેમને અસહ્ય પશ્ચાત્તાપ થયો. પછી વચેટ ભાઈનું કરજ કાપવા ચોરી કરવામાં તેને મદદ કરી. પિતાને ચિઠ્ઠી લખી દોષ કબૂલ કર્યો. પિતાજીના અશ્રુખિદુએ તેમને વીંધા ને સહજ રીતે તેમની પાસેથી જ અહિંસાની શક્તિનો પહેલોપાઠ શીખ્યા. તેમના 17મે વર્ષે પિતાનું મૃત્યુ થયું.

👉🏿 પોરબંદરની એક મેંમણની પેઢીના દક્ષિણ આફ્રિકામાં ચાલતા મોટા મુકદમામાં મદદ કરવાની નોકરીની તક મળતાં આફ્રિકા જવા ઊપક્યા. 1894માં આફ્રિકા નાતાલની કોર્ટમાં સૌપ્રથમ હિંદી વકીલ તરીકે પ્રવેશ મળ્યો. યુરોપિયનો તરફથી હિંદીઑને ડગલે ને પગલે થતા અપયાનનો એમણે જાત અનુભવ કર્યો. પહેલા વર્ગની ટિકિટ હોવા છતાં કેવળ રંગભેદને કારણે આગગાડીમાંથી ઉતારી મૂકવામાં આવ્યા. સિગરામયાં પણ અત્યાયનો વિરોધ કરતાં માર પડ્યો. પરિણામે તેમણે હિંદુઑનાં દુ:ખ દૂર કરવાનો નિશ્ચય કર્યો. જે કેસ માટે તેઓ આફ્રિકા ગયેલા તે કેસ પૂરો થતાં ભારત આવવા તૈયાર થયા પણ એ જ અરસામાં હિંદીઑના મતાધિકાર ખેંચી લેવાના કાયદાનો વિરોધ કરી નાતાલ ઇન્ડિયન કોંગ્રેસની સ્થાપના કરી. એમની માગણીઑ સરકારે મંજૂર કરવાથી તેઓ 1915માં ભારત પાછા આવ્યા. આમ અન્યાયની સામે માત્ર સત્યના બળે તેમણે અહિંસક પ્રતિકાર કર્યો અને જગતે સત્યાગ્રહ શબ્દ જાણ્યો, તેની શક્તિ જાણી અને મોહનદાસ કરમચંદ ગાંધી વિશ્વમાં પ્રસિદ્ધ થયા.

👉🏿 1915માં ભારત આવી તેમણે ભારતપ્રવાસ કર્યો. દેશમાં એક સામાન્ય માનવીની રીતે જ ફર્યા. લોકોની સ્થિતિ જોઈ. બ્રિટિશ સરકપ્રનાં શોષણ અને અન્યાય જોયાં. 25મી મેં ના દિવસે અમદાવાદમાં કોચરબમાં જીવણલાલ બેરિસ્ટરના મકાનમાં પચીસ સ્ત્રી-પુરુષો સાથે સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરી. હિંદમાંથી દક્ષિણ આફ્રિકા આદિ ઠેકાણે મજૂરો મોકલવાની ગિરપિટ પ્રથા રદ કરવા પહેલું આંદોલન અને તેમાં સરકારને નમાવી પહેલો વિજય પ્રાપ્ત કર્યાં. પછી 1917માં ચંપારણ (બિહાર) ગળીનાં કારખાનાંના મજૂરીના પ્રશ્ને તેમ જ 1918માં અમદાવાદના યિલમજૂરોના પ્રશ્ને પણ વિજય મળ્યો અને પછી તો સરકારના અન્યાય સામે તેમણે અનેક આંદોલનો કર્યા, પ્રજાને તેમણે અન્યાયનો અહિંસક રીતે પ્રતિકાર કરતાં શિખવાડચું. 1919માં ઇન્દુલાલ યાજ્ઞિક ના નવજીવન માસિકને સામાહિક્રમાં રૂપાંતર કરાવી તેના તંત્રીપદેથી ગુજરાતમાં નવી ચેતનાનો સંચાર કર્યો. બાદમાં યંગ ઇન્ડિયા નામનું અંગ્રેજી અર્ધસાપ્તાહિક પણ શરૂ કર્યું 1920માં તેમણે દેશભરમાં અસહકારનો જૂવાળ પ્રગટાત્યો. શાળા-કોલેજ બંધ કરાવી સરકારી નોકરીઓયાં રાજીનામાં અપાવીતે વિદેશી કાપડ તથા ચીજવસ્તુંઑની હોળી કરાવીને દેશને ધમધમતો કરી મૂકયો દેશની મોટા ભાગની પ્રજાની ગરીબી જોઈ પહેરણ ટોપી પહેરવાનું છોડી એકલો ટૂંકો કચ્છ પહેરવાનો નિર્ણય કર્યો.

👉🏿 1930માં સાવ સામાન્ય લાગતો મીઠાની કાયદો તોડવા તેમણે સત્યાગ્રહ કરવાનો નિર્ણય કર્યો. 12મી માર્ચે અમદાવાદના સાબરમતી આશ્રમેથી 70 જેટલા સાથીઓ સાથે તેમણે દાંડીયત્રા આરંભી અને 25 દિવસ બાદ 241 માઈલની મુસાફરી કરીને દાંડીના દરિયાકાંઠેથી ચપટી મીઠું ઉપાડી સરકારના જૂલમીં કાયદાનો ભંગ કરીને સમસ્ત દેશમાં તેમણે. કાયદાભંગનો મંત્ર મૂક્યો. આ ચપટી મીંઠાએ વિરાટ બ્રિટિશ સલ્ત્તનતમાં લૂણો લગાક્યોં. ચપટી મીઠાની આ લડતનેં વિશ્વભરમાં પ્રસિદ્ધિ મળી.

👉🏿 1931માં ગોળમેજી પરિષદમાં કોંગ્રેસના એકમેવ પ્રતિનિધિ તરીકે ઇંગ્લેન્ડ ગયા. નિષ્ફળ ગોળમેજીનો ઝેરનો કટોરો લઈને પાછા કર્યા. 1933માં હરિંજન ઉદ્ધાર માટે હિંદભરમાં પ્રવાસ કર્યો. ગ્રામૉદ્ધાર કેવો હોય તે મૂર્તિમંત કરી આદર્શ ગામડાની રચના કરવા મધ્ય પ્રદેશના વર્ધા પાસેના એક ગામડા સેગાવ (સેવાગ્રાપ)માં પોતાનું વડું મથક સ્થાપ્યું. 1946માં મુસ્લિમ લીગના સીધા પગલાને દિવસે થયેલી હુમલાખોરી અને આમ કતલને પરિણામે પૂર્વ બંગાળના નોઆખલીમાં દુ:ખી લોકોને સાંત્વનઆપવા તથા હિંદુમુસ્લિમ ઐક્ય સ્થાપવા ગામડે ગામડે નીડરતાનો ને શાંતિનો સંદેશ આપવા પગપાળા ફરયા. દેશના ભાગલા પાડવાની નવાબ ઝીણાની યોજના તથા દ્વિરાષ્ટ્ર સિદ્ધાંત સ્વીકારવાની અસંમતિ દર્શાવી.

👉🏿 ગુજરાતી ગદ્યને એમણે નવું ચેતન અને તાજગીભરી નવી દિશા આપી છે. સત્યના પ્રયોગો એ એમની અનોખી આત્મકથા છે. આ વિરલ, નિખાલસ આત્મકથા માત્ર ગુજરાતી સાહિત્યને જ નહિં, પણ વિશ્વસાહિત્યને પણ અનોખું પ્રદાન છે.

👉🏿 આ ઉપરાંત મારો જાતઅનુભવ, સર્વોદય, યરવડા અનુભવ, નીતિનાશને માર્ગે, ગીતાબોધ, અનાસક્તિ યોગ, આરોગ્યની ચાવી, કેળવણીનો કોયડો વગેરે એમનાં અનેક પુસ્તકો છે. ગાંધીજીનાં લખાણો, ભાષણો, પત્રો વગેરેનો સંગ્રહ ગાંધીજીનો અક્ષરદેહ ભાગ 1થી 90 માં પ્રગટ થયાં છે. આટલી વિપુલ સંખ્યામાં, પોતાના વિચારોની મૌલિક કે લેખિત સ્વરૂપે અભિવ્યક્તિ કદાચ વિશ્વ સાહિત્યના ઇતિહાસમાં ભાગ્યે જ હશે.

➖ *પંદરમી ઑગસ્ટ 1947* ➖

👉🏿 મહાત્માજીના અવિશ્રર્દત શ્રમ અને અદ્વિતીય નેતાગીરીના પરિણામે દેશ (વિભાગાયેલો તે છતાં) આઝાદ બન્યો. દેશભરમાં જયાં અશાંતિ થઈ ત્યાં ગાંધીજીએ દોડી જઈ એ દાવાનળ શમાવવા પ્રયત્ન કર્યો. જરૂર પડી ત્યાં અનશન કર્યા.

👉🏿 1948ની 30મી જાન્યુઆરીને સાંજની પ્રાર્થંનાસભામાં જતાં નથુરામ ગોડસે ની ગોળીએથી તેઓ વીંધાયા અને 35 મિનિટ બાદ અવસાન પામ્યા એક મહાજયોતિનો વિલય થયો.

➖ *ઐતિહાસિક મુકદમો* ➖

👉🏿 1922માં ગાંધીજી પર રાજદ્રોહના આરોપસર મુકદમો ચલાવવામાં આવ્યો. મુંબઈથી જજ મિ. બ્રુમફિલ્ડ આવ્યા હતા. ગાંધીજી પરનું તહોમતનામૂર્ટુ વંચાયું. ગાંધીજીને પૂછ્યું: ‘તમેં આરોપો કબૂલ કરો છો કે મુકદમો ચલાવવા માંગો છો ?’ ગાંધીજીએ કહ્યું : ‘મારી સામેના દરેક તહૉમતનો હું સ્વીકાર કરું છું.’ ન્યાયાધીશે કહ્યુ : ‘હવે સજા ફરમાવવાની બાકી રહે છે, પણ તે પહેલાં તહોમતદારને કંઈ કહેવું હોય તો મારે સાભળવુ છે.'

👉🏿 ગાંધીજીએ ઉત્તરમાં પોતાનું નિવેદન વાંચવાની ઇચ્છા દર્શાવી. ગાંધીજીનો એ એકરાર ઇતિહાસપ્રસિદ્વ વચનો બની ગયાં છે. ‘જે સરકારે હિંદનું અહિત જ કર્યું છે તેની સામે અપ્રીતિ થવી એને હું સડગુણ સમજું છું.’

👉🏿 ગાંધીજીનો એકરાર બ્રિટિશ સલ્ત્તનત પર આકરું તહોમનામું હતું. ન્યાયાપીશે ગાંધીજીને છ વરસની કૈદની સજા ફરમાવી અને કહ્યું: ‘સરકાર તમને છોડી મૂકશે તો મારા જેટલો આનંદ કોઈને નહિં થાય.’ ભાયમૂર્તિ બ્રુમફીલ્ડ તથા એડવોકેટ જનરલ આર્મસટ્રો ન્ગ બધા જ આ નરસિંહ આગળ પામર જણાતા હતા.

➖➖➖➖➖➖➖➖➖➖➖

*Source - ગુજરાત ની asmita
જ્ઞાન કી દુનિયા

No comments:

Post a Comment

āŠķિāŠ•્āŠ·āŠĢāŠĻા āŠŠ્āŠ°ેāŠ°āŠĢા āŠŠુāŠ·્āŠŠો

blog post